ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપમાં રમાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
અમદાવાદના સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ હોવાને કારણે વિદેશથી આવનારા ક્રિકેટ ચાહકોને ધ્યાનમાં રાખી આ સ્થળની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે.
મહત્વનું છે કે પાકિસ્તાની ટીમ 2016 બાદ 2023માં ભારતમાં મેચ રમતી જોવા મળી શકે છે.
BCCI આઈપીએલ બાદ સત્તાવાર રીતે ભવ્ય રીતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત થશે ત્યારે અમદાવાદમાં ભારત-પાક ની મેચ રમાવાની જાહેરાત થવાની શકયતા છે.
વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ (પ્રેક્ટિસ મેચ સહિત) માટે અમદાવાદ, રાજકોટ, નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, ઈન્દોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરાયાં છે. જોકે, આ સ્થળોમાંથી માત્ર 7 સ્ટેડિયમમાં ભારતની લીગ મેચો રમાશે. અમદાવાદ એકમાત્ર સ્થળ બની શકે છે જ્યાં ભારતીય ટીમ 2 મેચ રમશે.
જોકે આ માટે ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચવું જરૂરી રહેશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નાઈમાં રમાઈ શકે છે.