અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે તૌકતે નામનું મહાસંકટ આવી રહ્યુ છે. જેના લીધે કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરીર પણ પ્રભાવિત થઇ રહી છે. તૌકતે વાવાઝાડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 160 કેન્દ્રો પર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 160થી વધુ વેક્સિનેશન સેન્ટરો છે જ્યાં આગામી બે દિવસ એટલે કે, સોમવાર અને મંગળવારે વેક્સિનેશન કાર્યક્રમ બંધ રાખવા સૂચના અપાઈ છે. આ બે દિવસ દરમિયાન 18થી 44 અને 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિન અપાશે નહીં. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના કારણે આ નિર્ણય લેવાયો હતો.