અમદાવાદઃ કોરોના કેસો અમદાવાદમાં શુકવારથી રાત્રી કરફ્યુ લાગુ કરાયુ છે. અમદાવાદ શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કડક રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ ક્યા સુધી ચાલશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે જેનો આજે અંત આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરમાં રાત્રી કરફ્યુ ક્યાં સુધી ચાલુશે તે અંગે સત્તાવાર જાહેરનામુ પાડ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે, અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ 7 ડિસેમ્બર સુધી ચાલશે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાના કેસો ફરી વધતા અમદાવાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરામાં પણ શનિવારથી રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. રાત્રી કરફ્યુમાં લોકોને ઘરની બહાર ઇમરજન્સી સિવાય ન નીકળવા કડક સુચના આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ સેવા સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે. બાકીના સમયમાં બીઆરટીએસ બંધ રાખવામાં આવશે. તો ટિકિટ કાઉન્ટર સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.