રાજ્ય ઉપર બિપરજોય વાવઝોડું જે રીતે તીવ્ર બનીને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે તે કેટલો વિનાશ વેરી શકે તે કલ્પના ધ્રુજાવનારી છે.
અરબી સમુદ્રમાં બે દશકમાં વાવાઝોડામાં 52 ટકાનો વધારો થયો છે.
વર્ષ 1975થી 2000 સુધીમાં 7 જેટલા ચક્રવાત સર્જાયા છે, જ્યારે વર્ષ 2001થી 2023 વચ્ચે 20થી વધુ ચક્રવાત અને ડીપ્રેશન જેવી સ્થિતિ જોવા મળી છે.
દરિયાઈ સપાટીનું તાપમાન પ્રતિ વર્ષ સરેરાશ 10.1 મિલી ડિગ્રી વધતા ચક્રવતો વધી રહ્યાં હોવાનું જાણકારોનું કહેવું છે.
આ પ્રકારની સ્થિતિ વારંવાર ઉભી થતી હોવાથી સરકારે આવનારા સમયમાં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો સાથે ચર્ચા કરીને આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ.
જુદા જુદા નિષ્ણાંતોના મત એવો રહ્યો છે કે દરિયાઇ સપાટીના તાપમાનમાં વધારાથી વાવાઝોડા વધી રહ્યા છે. સરેરાશ વર્ષે 10.1 મિલી ડિગ્રી દરિયાઇ સપાટીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે વધી રહેલા વાવાઝોડા ચિંતા જનક છે ત્યારે આગામી સમયમાં આ અંગે ચિંતન કરવામાં નહિ આવેતો વાવાઝોડા વિનાશ વેરશે તે પહેલાં સામૂહિક પ્રયાસો કરવા જરૂરી હોવાનું જાણકારો જણાવી રહયા છે.
Sunday, May 19