આખરે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ સત્તાવાર રાજીનામું આપી દીધું છે.
આ અગાઉ ઉમેદવારોની પસંદગીના મુદ્દે વિવાદ થતા તેઓ એ રાજીનામાની ચીમકી આપી હતી. વિગતો મુજબ બહેરામપુરા વોર્ડમાં ઉમેદવાર ની પસંદગી મામલે ખેડવાલા નારાજ થતા તેઓ ને અમિત ચાવડાએ આશ્વાસન આપ્યુ હતુ.
અમદાવાદ માં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ હતો અહીં કોંગ્રેસે બહેરામપુરામાં 6 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા.
ખેડાવાલાએ કહ્યું હતું કે પહેલાં તેઓ ને 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું તો વધારાના 2 ઉમેદવારોને મેન્ડેટ કેમ આપવામાં આવ્યાં તેનાથી તેઓ નારાજ હતા. જોકે, બીજી તરફ
ઈમરાન ખેડાવાલાની પસંદગી ના ઉમેદવારોને ટિકિટ નહિ અપાતા વિવાદ ઉભો થયો હતો અને રાજીનામા ની ચીમકી આપતા અમિત ચાવડાએ તે મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. પરંતુ આ પહેલાં જ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું છે.
બીજી તરફ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે બહેરામપુરામાં ટિકિટ વિતરણને કારણે રોષ જોવા મળી રહ્યો છે. જેથી ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને રાજીનામું આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2015ની મનપા ચૂંટણી સમયે પણ કોંગ્રેસ છોડી હતી
ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં એમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે, 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને એમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. ત્યાર બાદ ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડીને જીતી હતી.
2017માં ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠકના ધારાસભ્ય બન્યા
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી તે જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને તે ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. જોકે, 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી. 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો. 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.
આમ આખરે ખેડવાલા એ રાજીનામુ આપતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Saturday, May 18