આજથી ફાસ્ટેગ વગર નું વાહન ટોલ પ્લાઝા ઉપર લઈને ગયા તો ખિસ્સું હળવું થઈ જશે સરકારે કડક નિયમ બનાવ્યા છે.આજે સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ કરવામાં આવશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો વાહન ચાલકે ડબ્બલ ટોલચાર્જ ચૂકવવો પડશે.
અત્રે નોંધનીય સરકારે 15 ફેબ્રુઆરી સુધી મુદત વધારી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝા પર તમામ વાહનો ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સોમવારથી તેનો અમલ શરૂ થઈ જશે. અત્યાર સુધી ટોલ પ્લાઝા પર પાંચ કાઉન્ટરમાંથી એક કાઉન્ટર પર રોકડ ટોલ લઈ વાહનોને એન્ટ્રી અપાતી હતી. જે આજે સોમવારથી બંધ થઈ જશે.
વર્ષમાં એકાદ વખત ટોલ પ્લાઝાનો ઉપયોગ થતો હોય તો પણ ફાસ્ટ ટેગ જરૂરી છે. ગમે ત્યારે ટોલ પ્લાઝા પરથી ગમે ત્યારે પસાર થવાનું થાય ત્યારે ટોલની રકમ ડબલ ભરવી પડે નહીં. ફાસ્ટેગમાં સામાન્ય બેલેન્સ રાખવાથી તેનો દુરુપયોગ થતો નથી. કોઈપણ સ્થળે જવાનું થાય ત્યારે તેને રિચાર્જ પણ કરાવી શકાય છે.
આમ, આજથી જે કેશ કાઉન્ટર હતા તે બંધ થશે અને ફાસ્ટેગ નહિ હોય તો બમણો ચાર્જ ભરવો પડશે. જોકે, ફાસ્ટેગ ટોલ પ્લાઝા ઉપર મળી શકશે.