કોરોના મહામારી વચ્ચે પ્રથમવાર શાળાઓમાં વર્ષ 2020-21ના નવા શૈક્ષણિક સત્રનો કેટલીક સ્કૂલો દ્વારા ઓન લાઇન પ્રારંભ થયો છે, જોકે શાળામાં તારીખ 8 જૂનથી 13 જૂન સુધી ધોરણ-1 અને 9માં પ્રવેશ, પાઠ્યપુસ્તકોનું વિતરણ, પરિણામ તૈયાર કરવું સહિતની કામગીરી માટે જરૂરિયાત મુજબના શિક્ષકોને શાળામાં બોલાવાયા બાદ તારીખ 15 જૂનથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓને ઘરેબેઠાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.
કોરોનાના સ્થિતિ હેઠળતા. 8 જૂનથી રાજ્યભરની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોશી દ્વારા કરાયેલા
આદેશ મુજબ નવા શૈક્ષણિત સત્રના પ્રારંભના પ્રથમ સપ્તાહમાં 8થી 13 જૂન સુધી શાળાઓમાં ધોરણ-1 અને ધોરણ-9ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો, વિદ્યાર્થીઓનાં પરિણામ પત્રક બનાવવાં, સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને ઘરે પાઠ્યપુસ્તક પહોંચાડવા, શાળા છોડ્યાનાં પ્રમાણપત્ર આપવા સહિતની કામગીરી કરવાની રહેશે.
ત્યાર બાદ તારીખ 15 જૂનથી ધોરણ-3થી 12 વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ અંતર્ગત ઘરે બેઠાં શૈક્ષણિક કાર્ય કરાવાશે, જેમાં બાયસેગના માધ્યમથી વિષય શિક્ષકોની મદદથી ધોરણવાર અને વિષયવાર અભ્યાસક્રમના પ્રોગ્રામો બનાવ્યા છે, જેમાં ધો. 1થી 5ના સમગ્ર શિક્ષા અભિયાને, ધોરણ-6થી 8ના જીસીઇઆરટી અને ધોરણ 9થી 12ના શિક્ષણ બોર્ડે કામગીરી કરી છે આમ કોરોના ની હાડમારી માં બાળકો ના શૈક્ષણીક કારકિર્દી જોખમ માં મુકાઈ છે પરંતુ બાળકો ની જિંદગી ને જોખમ હોય સરકાર દ્વારા બાળકો ના હિત માં આ નિર્ણય લીધો છે અને બાળકો ની વાત આવે ત્યાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી.
Saturday, May 18