સ્વાદ રસિયાઓ ઘર નું ખાઈને કંટાળી ગયા છે એવા લોકો માટે આજનો દિવસ સોનાનો સૂરજ ઉગ્યો છે કારણ કે છેલ્લા 3 મહિનાથી બંંધ રહેલી હોટલો, રેસ્ટોરાં અને મોલ આજથી શરૂ થઇ ચુક્યા છે. જોકે સરકારની ગાઇડલાઇન રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ અમલી બનતો હોવાથી સાંજે 7 વાગ્યા પછી ઓર્ડર નહિ લઈ શકાય, આ સાથે શહેરમાં આવેલા મોટા ભાગના મોલમાં માસ્ક, ગ્લોવ્ઝ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, ગન ટેમ્પરેચર સહિતના નિયમોનું ખાસ પાલન કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત મોલમાં નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને પ્રવેશ આપવામાં નહિ આવે. હાલ સ્ટાફની તંગી હોવાથી હોટલો પહેલા ની જેમ ધમધમાટ જોવા નહીં મળે, મોટા ભાગના હોટલ-રેસ્ટોરાં, સ્નેકબાર અને મોલમાં કામદારો ના અભાવે ધીમેધીમે શરૂઆત થશે. આ ઉપરાંત હોટેલ રેસ્ટોરન્ટ દ્વારા મેનૂમાં પણ મોટા ભાગની ખાદ્ય આઇટમો ઘટાડી દેવામાં આવી છે. લગભગ 250 ફુટ જેટલા મેનુમાંથી માત્ર 90 જેટલી આઇટમો ગ્રાહકોને પીરસવામાં આવે તેવું સબંધીતો જણાવી રહ્યા છે. આમ કોરોના ની હાડમારી વચ્ચે ફરીએકવાર જનજીવન ધીરેધીરે થાળે પાડવા કોશિષ થઈ રહી છે અને કોરોના નો ચેપ ન લાગે તે માટે જનતા એ પોતેજ પોતાનો અને પરિવાર નો ખ્યાલ રાખવો પડશે.
Saturday, May 18