આજે પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણનું જતન કરવું આપણા સૌની ફરજ છે એક પ્રેરણ ઉદાહરણ વલસાડ જિલ્લાનું લેવામાં આવેતો પર્યાવરણ દીને ચાલુ વર્ષ 2023- 24માં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 943 હેકટર જમીન વિસ્તારમાં 7,72,333 વૃક્ષો રોપવાનો સંકલ્પ લીધો છે સાથેજ નર્સરી દ્વારા 30.16 લાખ રોપાનું વિતરણ જનભાગીદારી દ્વારા કરવામાં આવનાર છે. આમ જિલ્લામાં કુલ 37,88,333 રોપા રોપવામાં આવશે.
વૈશ્વિક સ્તરે પર્યાવરણનો પ્રશ્ન પડકારરૂપ બન્યો છે ત્યારે લોકોમાં પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે જાગૃતિ આવે તે માટે દર વર્ષે આજે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વલસાડની જેમજ અન્ય જિલ્લાઓમાં પણ આ રીતના વૃક્ષા રોપણ કરવામાં આવેતો આવનારા દિવસોમાં ગુજરાત હરિયાળી ક્રાંતિ સર્જી શકે તેમ છે.
મહત્વનું છે કે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તેવા શુભ આશય સાથે વર્ષ 1972થી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વભરમાં તા. 5મી જૂને “પર્યાવરણ દિન”ની ઉજવણી થાય છે.
વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે. પર્યાવરણની જાળવણીથી જ ભરપૂર વરસાદ, શુધ્ધ હવા, પૂર નિયંત્રણ, ભૂગર્ભ જળ સ્તરની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને ઘાસચારો, રોજગારી અને ઉદ્યોગોને લાકડાનો પૂરતો જથ્થો સહિતની વસ્તુ પ્રાકૃતિક તત્વોની જાળવણી દ્વારા જ મળી શકે છે. ત્યારે પર્યાવરણમાં થતા હવા અને તેમને માનવ સ્વાસ્થય માટે હાનિકારક બનાવે છે. વર્ષો વીતતા જમીનની ફળદ્ર્પતા અને ઉત્પાદન પણ ઘટતું જાય છે, જેથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી વગરે અતિ અનિવાર્ય થઈ પડયુ છે ત્યારે ‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર’’ની ભાવના સાથે સૌ આગળ આવે તે અત્યંત જરૂરી બન્યુ છે.