કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહે છે. કચ્છમાં આજ રોજ બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આજ રોજ બપોરે 12.57 ના સમયગાળા ગરમિયાન લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સિસ્મોગ્રાફીના અહેવાલમાં ભુકંપનું કેન્દ્રબિંદું ભચાઉથી લગભગ 14 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ કોઈ જાના હાની સર્જાઈ નથી. હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.