કચ્છમાં સતત છ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ભુજ, અંજાર, માંડવી, નખત્રાણા અને અબડાસા તાલુકામાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાનું ચાલુ છે,નલિયામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર સર્જાયો હતો તેમજ માતાના મઢ ખાતે બે ઈંચ વરસાદ વરસતા મુખ્ય બજારમાં ધસમસતા પાણી વહેતા થયા હતા.
અબડાસાના નાગોર ગામની સીમમાં આકાશી વીજળી પડતા એક માલધારીનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ છે જેમાં નાગોર ગામની સીમમાં ઘેટાં બકરા ચરાવી રહેલા નોડે સિદ્ધિક હાજી મુસા નામના માલધારીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
દરમિયાન કચ્છી સતત છઠ્ઠા દિવસે મેઘ માહોલ યથાવત રહેતા ભુજ, અંજાર, નખત્રાણા, માંડવી અને અબડાસાના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
નખત્રાણાના રામપર રોહા ગામે ગત રાત્રીએ અઢી ઇંચ વરસાદ થયો હતો.