દેશમાં શિયાળો શરૂ થવાની તૈયારી જ છે ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સલુપરજ હવે પહેલા જેવો તપતો નથી, ત્યારે કચ્છમાં શિયાળાની ઋતુ અત્યંચ આહલાદક બની ગઈ છે. 1 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થવાની તૈયારીમાં છે. જો તમે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વાત જરૂરથી જાણજો.
આ વર્ષે 1 નવેમ્બર 2018થી 20 ફેબ્રુઆરી 2019 સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના સંગીતકારો, નૃત્યકારો, ભરતકામ કરનારા કારીગરો ભાગ લેશે. અહીં તમે કચ્છની સંસ્કૃતિ ખુબ નજીકથી માણવા મળશે. આ સાથે તમને ગુજરાતના શ્રેષ્ઠ ભોજનનો પણ સ્વાદ મળી રહેશે.
આખા દેશમાં રણોત્સવ ખુબ પ્રખ્યાત અને લોકોને મનગમતો મેળો છે. ખુબ લોકપ્રિય હોવાને કારણે અહીં લોકોનો ખુબ ઘસારો રહે છે, આથી તેના માટે એડવાન્સ બુકીંગ કરાવી લો.