ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧ર સાયન્સની (સેમેસ્ટર-૪) ની પરીક્ષાનું પરીણામ આવતીકાલે જાહેર થશે.
ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૧૦ વાગ્યે જીએસઇબીની વેબસાઇટ ઉપર પરીણામ જાહેર થશે. સંભવતઃ તે જ દિવસે શાળા માર્કશીટનું પણ વિતરણ કરવામાં આવશે.
ગુજરાત રાજયમાં વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ ની પરીક્ષા એ ગૃપમાં ૬પ૪૧૦ બી ગૃપમાં ૭૬૦૬૯ મળી કુલ ૧૪૧૦૦૦ પરીક્ષાર્થીઓએ કસોટી આપી હતી.
શિક્ષણ બોર્ડ દ્વારા નીટની પરીક્ષાની પુર્વ સંધ્યાએ પરીણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં રાજય સરકારે ખખડાવતા પરીણામ મોડુ કરવામાં આવ્યું હતું. ગુજકેટની સાથે જ પરીણામ જાહેર કરવાની જાહેરાત કરનાર શિક્ષણ બોર્ડે હવે માત્ર ધો.૧ર સાયન્સનું જ પરીણામ જાહેર કરશે. ગુજકેટની પરીક્ષા તો હજુ આજે લેવાય છે. ગુજરાતના ૧૪૧૦૦૦ પરીક્ષાર્થીઓમાં પરીણામ પુર્વે ભારે ઉતેજના વ્યાપી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.