કેન્દ્ર સરકાર ગુજરાતને હવે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવા જઈ રહી છે.
સાબરમતીથી જોધપુર વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈના રોજ કરશે.
આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે પાંચ સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, પાલી સ્ટેશને ટ્રેન ઉભી રહેશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સોમવારથી શનિવાર સુધી દોડશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવશે.
આ ટ્રેન જોધપુરથી સવારે 6 કલાકે ઉપડશે અને બપોરે 12.05 કલાકે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી આ ટ્રેન સાંજે 16.45 કલાકે ઉપડી રાતે 22.45 કલાકે જોધપુર પહોંચશે. સાબરમતીથી જોધપુર વચ્ચેનું 446 કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં મેલ એક્સપ્રેસ ટ્રેનોને લગભગ 8 કલાક લાગે છે જ્યારે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 6 કલાકમાં પહોંચાડશેે. હાલ આ ટ્રેનનું ભાડું નક્કી કરાયા નથી પરંતુ અન્ય વંદે ભારતના ભાડા મુજબ ભાડું રૂ.800થી 1600 રહેવાની શક્યતા છે.
હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે ગુજરાતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને હવે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે.