અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 17 મે, 2021 શુક્રવારના રોજ 7135 વા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 14 એપ્રિલ પછીના સૌથી ઓછા નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,59,754 લાખ થઇ ગઇ છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 12342 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,50,932 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 85.68 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 81 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 9202 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1 લાખથી નીચે 99620 થઇ છે અને જેમાંથી હાલમાં 762 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કોરોના રસીકરણ સદંતર બંધ રાખવામાં આવ્યુ છે. તૌકતે ચક્રવાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સોમવાર અને મંગળવારે એમ કુલ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.