કોરોના ની સ્થિતિ વચ્ચે લૉકડાઉન ના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કોર્ટ બંધ છે ત્યારે લોકો પાસે પૈસા ખૂટી ગયા હોવાથી જે ચેકો આપ્યા હતા તેવા ચેક રિટર્નના લગભગ રૂ.200 કરોડના 25 હજાર જેટલા નવા કેસ દાખલ થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કારણકે સંખ્યાબંધ વકીલો પાસે સેંકડોની સંખ્યામાં આવા કેસો આવી રહ્યા છે
નોંધનીય છે કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશિએેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ની 10 કોર્ટ કાર્યરત છે. આ કોર્ટોમાં બેન્કો, ફાઈનાન્સ કંપનીઓ, ઔદ્યોગિક એકમો અને ખાનગી વ્યક્તિના ચેક રિટર્નના કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
એક અંદાજ મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની 38 કોર્ટમાં મહિને અંદાજે 10 હજાર કેસ દાખલ થતાં હોય છે. પરંતુ લૉકડાઉનને કારણે 25 માર્ચથી કોર્ટ બંધ છે. હવે જ્યારે કોર્ટ ફરી શરૂ થશે ત્યારે આવા કેસ એકસાથે આવે તેવી શક્યતા છે. અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં લૉકડાઉન અગાઉ 2.70 લાખ કેસ પેન્ડિંગ છે ત્યારે નવા કેસ ઉમેરાશે તો કેસ નો ભરાવો થશે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દર 3 મહિને લોકઅદાલત દ્વારા 8 થી 10 હજાર કેસોનો નિકાલ કરી રૂ.100 થી રૂ.200 કરોડના નાણાકીય વ્યવહારોમાં સમાધાન કરાતું હતું. જે કામકાજ હાલમાં કોરોના ની મહામારી ને કારણે બંધ છે ત્યારે કોર્ટ ખુલતા રિટર્ન ચેક સિવાય અન્ય કેસો એક સાથે આવતા કોર્ટમાં કેસો નું ભારણ વધે તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
![કોરોના ની મહામંદી વચ્ચે રૂ.200 કરોડ ના ચેક રિટર્ન ના કેસ નોંધાય તેવી શક્યતા WhatsApp Image 2020 07 08 at 12.37.17 AM](https://www.satyaday.com/wp-content/uploads/2020/07/WhatsApp-Image-2020-07-08-at-12.37.17-AM.jpeg)