રાજ્યમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી હતી.
ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે જિલ્લામાં ઠેકઠેકાણે નુકસાન થયું છે, જેને કારણે ક્યાંક વૃક્ષો પડી ગયાં તો ક્યાંક વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. તો એને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હોવાના અહેવાલો મળ્યા છે.
કપડવંજના નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વ્યક્તિનું થયું મોત થયું હતું. પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક ભારે પવનને કારણે બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થતા જવાનસિંહ પરમાર નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. આ પંથકમાં 20થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો.
25થી વધુ વૃક્ષો અને 13 જેટલા વીજપોલ પણ અહીં ધરાશાયી થયા હોવાનું જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું હતું.