સોલર પેનલની સ્થાપનાના 16 પ્રોજેક્ટ્સમાંથી 14ની મંજૂરી આપીને રૂ.1.67 કરોડ આપી છે. રૂ.5.46 કરોડને સૂર્ય ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ છે. સૂર્યથી ઠંડી પેદા કરવામાં આવી રહી છે.
તમામ પ્રોજેક્ટ તકનીકી ચકાસણી સમિતિ તેમજ એમઆઇડીએચની માર્ગદર્શિકા મુજબ મળી મુખ્ય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કરવામાં આવી છે.
જેમાં 4 કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અરવલી જિલ્લામાં બાયડ, મોડાસા, ધનસુરા બટાટા માટે બનાવાયા છે.
વડોદરા, બનાસકાંઠા, ભાવનગર અને રાજકોટમાં એક એક પ્રોજેક્ટ થઈ ગયા છે. સાબરકાંઠામાં 3 પ્રોજેક્ટ છે. ભાવનગર અને રાજકોટમાં ડૂંગળી અને બીજી વસ્તુ માટે છે.
4 પ્રોજેક્ટ ગાંધીનગરમાં છે.
એક કોલ્ડ સ્ટોરેજનું સૂર્ય ઊર્જા પેનલનું ખર્ચ રૂ.24 લાખથી 40 લાખ સુધીનું છે. મોટા ભાગના પ્રોજેક્ટસ ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2020 સુધીના છે.
સમિતિએ કોલ્ડ સ્ટોરેજ માટે સોલાર પેનલના 14 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાનું નક્કી કર્યું હતું. જેમાં બે પ્રોજેક્ટ પહેલા થઈ ગયા હતા. પ્રોજેકટ સમાન કુટુંબના સભ્યોની અને તે જ સર્વે નંબરની જમીનની હોવાનું માલુમ પડ્યું હતું. જમીનની માલિકી અંગે તપાસ કરીને તેને મંજૂરી આપવામાં આવે છે.
બાગાયતી વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2019 સુધીમાં કુલ 450 કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં મોટાભાગના તો ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં બટાટા માટે છે. ગુજરાતમાં બટાટાનો વપરાશ વર્ષે 20 લાખ ટન રહે છે. 49 ટકા કોલ્ટ સ્ટોરેજ બટાટા માટે છે. 25 ટકા બહુ હેતુક છે. ફળ, શાકભાજી, ફૂલ માટે તો માંડ 1 ટકો કોલ્ટ સ્ટોરેજ છે.
લોકોની માંગ છે કે, તેઓ વીજળીનું બિલ બચાવવા માટે હવે સૂર્ય ઊર્જા દ્વારા ચાલતાં કોલ્ડસ્ટોરેજ બનાવવા માંગે છે. તેથી સરકારે આ બાબતને અગ્રતા આપવાની ખાસ જરૂર છે. જો તેમ થાય તો ખેતીવાડીને સારો એવો ફાયદો થઈ શકે છે.
કયા જિલ્લામાં શિતાગારની ક્ષમતા ટન છે.
અમદાવાદ – 62838
અમરેલી – 3000
બનાસકાંઠા – 189207
ભરૂચ 214
ભાવનગર – 4765
ગાંધીનગર – 67861
જામનગર – 22779
જૂનાગઢ – 54982
ખેડા – આણંદ – 201962
કચ્છ – 4776
મહેસાણા – 52554
નવસારી – 5000
પંચમહાલ – 199
રાજકોટ – 32935
સાબરકાંઠા – 32236
પાટણ – 26238
સુરત – 3140
સુરેન્દ્રનગર – 909
વલસાડ – 1374
ડીસા વિસ્તારમાં બટાટાના સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ વધી રહી છે. 110 છે. જેમાં 1.50 કરોડ કટ્ટા બટાટા સંગ્રહ થાય છે. સૂર્ય ઊર્જા સહાય જો ખેડૂતોને આપવામાં આવે તો તેમને સારો એવો ફાયદો થશે તેની સાથે ખેત ઉત્પાદનોનો બગાડ અટકાવી શકાશે.