રાજ્યમાં હવે હાર્ટ એટેકનો સ્ટુડન્ટ ભોગ બની રહયા છે ત્યારે ગંભીરતા વધી જાય છે અને ઉપરા ઉપરી બની રહેલા આવા બનાવો અંગે તાત્કાલિક કારણ શોધી તેના નિવારણ માટે પગલાં ભરવા માંગ ઉઠી છે.
રાજકોટમાં રહી કાલાવડ રોડ પર આવેલ VVP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા મૂળ બારડોલીના વતની કલ્પેશ પ્રજાપતિનું હાર્ટ એટેકથી મોત થઈ જતા અન્ય વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા છે હજુ બે દિવસ પહેલા જ નવસારીમાં ધો.12ની 17 વર્ષની વિદ્યાર્થીની તનીશા ગાંધીનું પણ હાર્ટ એટેક થી મોત થવાનો મામલો સામે આવ્યો હતો આમ હવે સ્ટુડન્ટના મોત થવાનો સિલસિલો શરૂ થતાં ચિંતા ફેલાઈ છે.
કોરોના વખતે કોલેજ સ્ટુડન્ટ કલ્પેશ પ્રજાપતિ એ પણ વેક્સિનના ત્રણ ડોઝ લીધાનું સામે આવ્યું છે.
રાજ્ય અને દેશમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ-એટેકના બનાવો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કોરોના પછી વધેલા હાર્ટ એટેકના બનાવો ઉપર રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સરકાર ચિંતિત છે અને ICMR દ્વારા રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે અને આ પછી રિપોર્ટ આવ્યે આગળ કોઈ નિર્ણય જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્ટ એટેકના વધતા કેસોને કોરોના વાયરસની આડ અસરો અને તેની રસી સાથે જોડવામાં આવી રહ્યું છે અને અગાઉ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ વિશે ઘણી માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોરોના વાયર પછી હાર્ટ એટેકનું જોખમ રસી લીધા પછી 4થી 5 ટકા વધારે છે.
સૌમ્યા સ્વામીનાથને જે તે સમયે મીડિયાને જણાવ્યું હતું કે, એ વાત સારી રીતે સ્થાપિત છે કે કોરોના વાયરસના ચેપ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. કોવિડ પછી હાર્ટ એટેકનું જોખમ રસીકરણ પછી 4 થી 5 ટકા વધારે છે.