ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાવાની શક્યતા વચ્ચે હવે અહેવાલ એવા છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે.
આ અંગે કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
અગાઉ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બંને પક્ષોએ ચૂંટણી ગઠબંધનથી જ લડી હતી.
ભાજપે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં સ્થાન આપી દેતા હવે કોંગ્રેસ માટે ભાજપ સામે સીધો જંગ કરવો શક્ય નથી કારણકે આમ આદમી પાર્ટીએ તે સ્થાન લઇ લીધું છે તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થઇ ભાજપ સામે ટકકર લેવા રણનીતિ ગોઠવાઈ છે, જેમાં અમદાવાદ, આણંદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં એક એક અને સૌરાષ્ટ્રમાં 2થી 3 સીટો પર NCP પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જે સીટ પર NCPના ઉમેદવાર ઉભા રહેશે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા રાખવામાં નહી આવે.બંને પક્ષ વચ્ચે ચૂંટણીને લઈને બેઠક થઈ હતી. પરંતુ હજુ એક વાર ફરીથી ચર્ચા થશે અને ટીકીટ ફાઇનલ કરવામાં આવશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
મહત્વનું છે કે, ભુતકાળમાં એનસીપી દ્વારા રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયુ હતું. ૨૦૧૭ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે છેલી ઘડીએ ગંઠબંધન તોડ્યું હતું. અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકી રાજ્યસભા ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કરાયું હતું. ત્યારે ફરી એકવાર ૨૦૨૨ માં થયેલું ગંઠબંધન કેવો રંગ લાવે છે તે જોવું રહ્યુ.