ગાંધીનગરઃ ગુજરાતમાં અભૂતપૂર્વ રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે જેને પગલે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે સામે રિકવરી રેટ ઘટી રહ્યો જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 11 માર્ચના રોજ કોરોના સંક્રમણના 710 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લા સવા બે મહિનાના સૌથી વધુ નવ કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,75,907 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 451 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,67,701 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.03 કાના સ્તરે પહોંચ્યો છે.
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી 60 વર્ષ વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુજરાતમાં કુલ 16,911 વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 10,135 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 17,24,805 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 4,25,371 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 3700ને વટાવી ગઇ છે. આજે રાજ્યમાં 3788 કોરોના એક્ટિવ કેસો હતા એટલે કે હાલ વાયરસથી સંક્રમિત આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી હાલમાં 49 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે રાજ્યમાં 4 જિલ્લામાં એક પણ નવો કોરોન કેસ નોંધાયો છે, જેમાં છોટા ઉદેપુર, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે અને આજે ત્યાં એક પણ નવો કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયુ નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4418 છે.