અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થતા આજે શનિવારે રેકોર્ડબ્રેક 1515 નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ રવિવારે પણ 1500 જેટલા નવા કેસ આવ્યા છે
ગુજરાત રાજ્યમાં આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1495 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,97,412 લાખ થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ બાદ આજથી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
કરફ્યુ વચ્ચે પણ અમદાવાદમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે અને નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે પૂરા થયેલા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 318 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં આજે રવિવારે કુલ 341 નવા કોરોના કેસ નોંધાયા છે.
ઉલ્લેખનિય છે કે, આજે રવિવારે ગુજરાતમાં કોરોનાથી 13 દર્દીઓના મોત થયા છે જેમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 2, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, ગાંધનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 3859 પહોંચી ગયો છે.
તો બીજી બાજુ આજે અમદાવાદમાં કૂલ 370 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ સાથે આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 1167 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,79,953 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.16 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરી 13 હજારને વટાવી ગઇ છે અને આજે 13,600 પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 93 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કૂલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 72,35,184 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,02,685 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,02,573ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 112 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.