ગાંધીનગરઃ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે. રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી 60 વર્ષ વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કાના પ્રથમ દિવસે ગુજરાતમાં કુલ 61,254 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 8,83,601 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 1,89,624 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યુ છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 1લી માર્ચના રોજ 427 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,70,314 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 360 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,63,475 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.47 કાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 2400ને વટાવી ગઇ છે. આજે રાજ્યમાં 2429 કોરોના એક્ટિવ કેસો હતા એટલે કે હાલ વાયરસથી સંક્રમિત આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી હાલમાં 35 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે પાં6 જિલ્લામાં એક નવો કોરોના કેસ નોંધાયો છે. જેમાં બોટાદ, જામનગર, નવસારી, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે અને આજે ત્યાં એક પણ નવો કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના સંક્રમિત એક પણ દર્દીનું મોત થયુ છે. અલબત્ત અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 4410 લોકોને ભરખી ગયો છે.