ગાંધીનગરઃ દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના વાયરસ બેફામ બન્યો છે અને નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક દરે વધારો નોંધાયો છે. ગુજરાતમાં 84 દિવસ બાદ આજે સોમવારે સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મોત નિપજ્યા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સોમવારે 1487થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાવતા હાહાકાર મચ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,98,8989 લાખ થઇ ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1234 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,81,187 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.09 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 13, સુરતમાં કુલ 1, મોરબમાં 1, રાજકોટમાં 1 અને વડોદારમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3876 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધુ લોકોના મોત થયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા સોમવારે વધીને 13,836 પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 89 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 73,04,705 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,00,873 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,00,762ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 111 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.