રાજ્યસભા ની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં પડી ચુક્યા છે, ગતરોજ બ્રિજેશ મેરજાનું પણ રાજીનામું પણ પડતા હવે કોંગ્રેસ નું કેપ્ટન વગર નું જહાજ લગભગ ડૂબી ચૂક્યું છે. આ બધા વચ્ચે ગતરોજ શુક્રવારે આણંદ પાસેના એરિસ રિવરસાઇડ નામના એક રિસોર્ટમાં ભરતસિંહે પોતાના જૂથના ધારાસભ્યોને ભેગા કર્યાં હતા આ દસથી વધુ ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીએ સોંગદ લેવડાવીને પોતાને સાથ આપવા રિકવેસ્ટ કરી છે, જોકે આ તમામ ધારાસભ્ય પહેલે થીજ સોલંકી જૂથ ના સમર્થકો છે અને તેઓ માટે રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ કરતાં ભરતસિંહની વફાદારી વધુ અગત્ય ની છે.
હવે કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતશે અને આથી રાજ્યસભા ચૂંટણીમાં સ્પર્ધા કોંગ્રેસના જ બે ઉમેદવારો વચ્ચે ની જણાઈ રહી છે અને તે છે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે ની હરીફાઈ. બીજી તરફ એવી પણ હવા છે કે હાઇકમાન્ડની પહેલી પસંદ શક્તિસિંહ ગોહિલ હોવાથી ભરતસિંહને હારનો સામનો કરવો પડે તેમ છે. આવા સંજોગોમાં ભરતસિંહે હવે પોતાનો દાવ ખેલ્યો છે. આ અગાઉ કોંગ્રેસની બેઠકમાં પણ હાઇકમાન્ડ તરફથી મળેલા હુકમ મુજબ પક્ષના ધારાસભ્યોએ વધુ એકડાના મત શક્તિસિંહને આપવાના રહેશે અને ત્યારબાદ ભરતસિંહને આપવાના રહે છે તેમ આદેશ હોવાની વાતો પણ થઈ રહી છે.
રાજકીય ચાલતી ચર્ચા મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજીવ શુક્લાનું નામ ઉમેદવાર તરીકે આવ્યું હતું ત્યારે વીસેક ધારાસભ્યોએ નારાજગી દર્શાવતા હાઇકમાન્ડે નિર્ણય બદલી ભરતસિંહને બીજા ઉમેદવાર બનાવ્યા છે.
ભરતસિંહના આ પાવર પોલિટિક્સની સામે શક્તિસિંહ પોતાનો દાવ ખેલી લેશે. સૂત્રો જણાવે છે કે શક્તિસિંહ હાઇકમાન્ડ પાસે પોતાના મતદાતા ધારાસભ્યોની યાદી મોકલી તેમને મત આપવાનો મેન્ડેટ અપાવશે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેશ પરમાર, દંડક અશ્વિન કોટવાળ, પૂંજા વંશથી માંડીને બાકીના તમામ સિનિયર ધારાસભ્યોના ગણીને 35થી 36 મત પોતે લેવાનો પ્રયત્ન કરશે એમ મનાય રહ્યું છે ત્યારે આ બધું ચિત્ર આગામી દિવસો માં સ્પષ્ટ થઈ જશે પરંતુ એકવાત નક્કી છે કે આ મેટર ને લઈ કોંગ્રેસ માં અંદરોઅંદર વિખવાદ વધતો જશે.
Sunday, May 19
ગુજરાતમાં રાજ્યસભા ની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ માં ભંગાણ, કોંગ્રેસ ના બે મહાનુભવો વચ્ચે ‘જંગ’ ના મંડાણ !! કોણ ફાવશે શક્તિસિંહ કે ભરતસિંહ ? ખરાખરી ના પારખા !!
By mohammed shaikhUpdated: