રાજ્યમાં વાવાઝોડાની વિપદા આવીને ઉભી છે ત્યારે વિપક્ષ પણ સરકાર સાથે ઉભું છે અને લોકોને સરકારે નક્કી કરેલી ગાઈડ લાઈન પાળવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરી છે,વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે.
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. તેની રફ્તાર પર તેજ થઈ રહી છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર, જ્યારે જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે વાવાઝોડાની સ્થિતિમાં રાજકારણ ને સાઇડ ઉપર મૂકીને સૌ નેતાઓ એક થયા છે અને લોકોને સરકારની ગાઈડ લાઈન પાળવા વિપક્ષ નેતા અમિત ચાવડાએ જાહેર અપીલ કરી છે.