રાજ્યમાં કોરોનાનો અંત આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં સતત 30મા દિવસે કોરોનાથી એક પણ મોત થયું નથી. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 10 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 29 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.
30 દિવસથી કોરોનાના કારણે એક પણ મોત નહીં
અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.
180 એક્ટિવ કેસ અને 4 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 21ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 82 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 740 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 180 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 176 દર્દીની હાલત સ્થિર છે.