આણંદ : રસોઈમાં વપરાતા મસાલાનો ઉપયોગ સામાન્ય રીતે ( કાળા મરી , એલચી , તજ , લવિંગ , ધાણા , જીરુ , વરિયાળી , મેથી , આદુ , જાયફળ અને હળદર ) થાય છે. જેમાં જાયફળ એક છે. જાયફળ ઘીનો બગાડ અટકાવી શકે છે. ઘીની અપેક્ષિત ઊપજના 0.5 ટકા લેખે , પીગળેલા માખણમાં અથવા 0.4 ટકા લેખે 80 ટકા ફેટ ધરાવતા માખણમાં ઉમેરવાથી ઓક્સિડેશનથી થતો ઘીનો બગાડ ઓછો કરવામાં સૌથી વધુ અસરકારક સાબિત થયું છે.
ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા આણંદમાં ઘણાં પ્રયોગ બાદ શોધી કઢાયું છે કે, ઘીનો બગાડ અટકાવવા માટે જાયફળને ઘીમાં ઉમેરવું તે શ્રેષ્ઠ છે. જેથી ઘીનો બગાડ અટકાવી શકાય છે.
ઘી ઓછું ખોરું થાય છે. જ્યારે ચરબી અને તેલ ઓક્સિડાયઝેશન થાય ત્યારે ખોરું બને છે. બગડી જાય છે. હવા ચુસ્ત કન્ટેનરમાં ઘી ઓછું ખરાબ થાય છે, તેનું કારણ ઓક્સીડેશનની ઓછી પ્રક્રિયા છે.
પ્રિઝર્વેટીવ એજન્ટ્સ તરીકે પણ જાયફળ કામ કરે છે.
હવે તે માખણમાં ઉમેરવાથી તેનો ઓક્સિડેશનથી ઘીનો બગાડ થતો હોય છે તે અટકાવી શકાય છે. ચિઝમાં જાયફળ ભેળવીને પણ ફાયદો મેળવી શકાય છે.
વૃક્ષમાંથી નિકળતાં જાયફળ અને જાવિત્રી સ્વાદ અને ગુણ સરખા છે. વિશ્વમાં જાયફળ અંગે અનેક સંશોધન થયા છે.
જાયફળનું માખણ
જાયફળના બીમાંથી બટર બને છે. લાલાશ કથ્થઈ રંગનું હોય છે. સ્વાદ અને સુગંધમાં જાયફળ જેવું જ હોય છે. કાર્બન ફેટી એસિડ છે, જેનો ઉપયોગ કોકો બટરની જગ્યાએ કરી શકાય છે. ચરબીયુકત પદાર્થો કપાસીયા તેલ, પામ તેલ સાથે મિશ્રિત કરી શકાય છે.
તેલ
તેલ કઢાય છે. તેલનો ઉપયોગ ઓદ્યોગિક લુબ્રીકન્ટ તરીકે પણ થાય છે. અન્ય તેલમાં ઉમેરવાથી તે ખરાબ ઓછું થાય છે. લાંબો સમય ટકે છે.
દવા
જાયફળ બ્રેઇન ટોનિક છે. તેથી રસોઈમાં વાપરવામાં આવે છે. જાયફળ દાંતનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરદી, ઉધરસ, કબજિયાત દુર કરીને પ્રતિકાર શકિત વધારે છે. પેનકીલર અને રમ, કોસ્મેટિક, દવા ઉદ્યોગમાં વપરાય છે. મજ્જા અને પાચન શકિતની બિમારી, પ્લેગ જેવી બિમારીઓ થઈ ત્યારે વપરાતું હતું.
વસ્તુ બનાવવા ઉપયોગ
જાયફળથી સુગંધીત કેન્ડી-મીઠાઈ, જામ, અથાણું, તાજું જયૂસ બને છે. ચિઝ, સોસમાં વપરાય છે. રોમન પાદરીઓ અગરબત્તી તરીકે જાયફળને બાળતા હતા.
ભોજન-વાનગી
બટાકાની વાનગીમાં અને રસોઈમાં ઉપયોગ, ભારતની અને જાપાનની કઢી, મીઠાઈ, ભોજન, પાન-મસાલા, ઓછી માત્રામાં ગરમ મસાલામાં ઉપયોગ થાય છે. માં થાય છે.
આડ અસર
ઓછી માત્રામાં જાયફળ શારીરિક અને ન્યુરોલોજિકલ પ્રતિક્રિયા પેદા નથી કરતું. વધું ખાવાથી આડઅસર થાય છે. કડવું, નકારાત્મક અસર, ચક્કર આવવા, કમકમાટી થવી, શુષ્ક ચહેરો, હ્રદયના ધબકારા વધવા, કામચલાઉ કબજિયાત, પેશાબમાં તકલીફ, ઊબકા, ભય, નશો, પાલતું પ્રાણીઓ માટે હાનિકારક છે.
ખેતી
તેનું ફળ 5થી 10 ગ્રામ વજન ધરાવે છે. વૃક્ષનું બીજ જાયફળ છે. કોચલાની વચ્ચે હોય છે. વૃક્ષમાંથી જાયફળ ઉપરાંત જાવિત્રી નિકળે છે. જાયફળનું વિશ્વમાં ઉત્પાદન 10થી 12 હજાર ટન છે. જાવિત્રીનું 1500થી 2000 ટન છે. જાયફળ 7-9 વર્ષ પછી ફળ આપે છે.