કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં ભાગતા ફરતાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અમદાવાદમાં સીટ સમક્ષ નાટકીય રીતે હાજર થયો હતો. છબીલ પટેલ પર ભાનુશાળીની હત્યા કરવાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. છબીપલ પટેલની સાથે વાપીની મહિલા મનિષા ગોસ્વામી પણ આરોપી છે.
હત્યાના દિવસથી છબીલ પટેલ ગાયબ હતો અને વિદેશમાં ભાગી ગયો હોવાનું પોલીસની તપાસમાં ખૂલવા પામ્યું હતું. છબીલ પટેલ વિદેશ આવતાં જ પોલીસે તેને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી લીધો હતો. એવું કહેવાય છે કે છબીલ પટેલે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. ભાનુશાળી હત્યાકેસમાં સીટ દ્વારા પાંચ જેટલા આરોપીઓની ધરપકડ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે.
ચારેક દિવસ પહેલાં જ છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે પણ સીટ સમક્ષ સરન્ડર કર્યું હતું સિદ્ધાર્થ પટેલની ધરપકડના ગણતરીના દિવસોની અંદર જ અચાનક જ છબીલ પટેલને પણ સીટ સમક્ષ સરન્ડર કર્યું છે. વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતેથી સીટના અધિકારીઓએ છબીલ પટેલની ધરપકડ કરી હતી.
જયંતી ભાનુશાળીની હત્યા બાદ છબીલ પટેલ પહેલા જ દેશ છોડીને નાસી છૂટયો હતો છબીલ પટેલ અગાઉ અત્યારના આક્ષેપો નો ઇનકાર કર્યો હતો. પરંતુ શાર્પ શુટર અને બીજા સાંયોગિક પુરાવાની અંદર છબીલ પટેલ અત્યારની સોપારી આપી હોવાનું ફલિત થયું હતું.
ત્યારબાદ અચાનક જ છબીલ પટેલે સરન્ડર કરતાં હત્યાની હજુ એક મુખ્ય આરોપી એવી મનીષા ગોસ્વામી પોલીસ પકડથી દૂર છે. ટૂંક સમયમાં મનિષા પણ પોલીસના સકંજામાં આવી જવાની શક્યતા છે. મનીષા ગોસ્વામી અને છબીલ પટેલ ક્યા કારણોસર ભાનુશાળીની હત્યા કરી તે હવે તપાસ દરમિયાન બહાર આવશે.
કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અમેરિકાથી પરત આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ભાનુશાળી હત્યા કેસની તપાસ કરી રહેલી સીટે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થની ધરપકડ કરી લીધી હતી, ત્યારે પુત્રને બચાવવા માટે છબીલ પટેલે રાજકારણીઓ અને કેટલાક અધિકારીનો સંપર્ક કરતા તેમને હાજર થવાની સલાહ આપ્યાનું જાણવા મળે છે. જો કે, સત્તાવાર રીતે કોઈ સમર્થન મળતું નથી.
બીજી તરફ સીટના અધિકારીઓ મનીષા ગોસ્વામી સહિતના ત્રણ આરોપીઓની શોધખોળ કરતા હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે, છબીલ પટેલ અને વિશાલ કાંબલે એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ મનીષા ગોસ્વામી, સુરજિત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટે તેની ઓળખાણ કરાવી. ત્યારબાદ વિશાલે શશિકાંત અને અનવરને બોલાવી સોપારી અપાવી હતી.
આ વખતે છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થે તેમને રહેવાની અને હત્યા બાદ નાસી જવા માટે મદદ કરી હતી. જેના પગલે સીટે તાજેતરમાં સિદ્ધાર્થની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આ વાતની જાણ અમેરિકામાં છબીલ પટેલને થતાં તેમણે પહેલાં કાયદાકીય સલાહ લીધી હતી. ત્યારબાદ કેટલાક રાજકારણી અને અધિકારીનો સપર્ક કરતા તેમને પહેલા પોલીસમાં હાજર થવા કહ્યું હતું. જેને પગલે છબીલ પટેલ આગામી દિવસોમાં ભારત પરત આવે તેવી શક્યતાઓ છે.
વિશાલ કાંબલેએ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને શાર્પશૂટર શશિકાંત દાદા કાંબલે અને અશરફ અનવર શેખની 9 નવેમ્બર, 2018ના રોજ મુંબઇમાં આવેલા ઇનોરબીટ મોલમાં મુલાકાત કરીને રૂપિયા 30 લાખમાં સોપારી આપવાનું નક્કી થયા બાદ એડવાન્સ પેટે રૂપિયા 5 લાખ અપાયા હતા.
એડવાન્સ લીધેલા નાણાંમાંથી શાર્પશૂટર અશરફ શેખે રૂપિયા 2 લાખ લઇને રૂપિયા 1.30 લાખમાં 3 પિસ્તોલ અને 15 કારતૂસ ખરીધા હતાં. ત્યારબાદ શશિકાંત, અશરફ અને વિશાલે એક-એક હથિયાર રાખ્યું હતું. આ તમામ કાવત્રાથી છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ વાકેફ હોવાનો આરોપીઓએ સીટ સમક્ષ કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે. જેના આધારે સીટ સિદ્ધાર્થની પૂછપરછ કરી રહી છે. છબીલ પટેલની ધરપકડ બાદ હત્યાકેસની ખૂટતી કડીઓ મેળવવામાં પોલીસ અધિકારીઓ લાગી ગયા છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.