જૂનાગઢમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર તારાજી સર્જાઈ છે અને
હોનારત સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને કામ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામાં આવતી કાલ તા. 24 જુલાઇ રાત્રીના 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉપરાંત જૂનાગઢના પ્રવાસન સ્થળો પર પ્રવેશ નિષેધ કરાયો છે.
જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં પુર આવતા તારાજી સર્જાઈ છે અને અનેક પશુઓ,ઘર વખરી,લારીઓ,વાહનો પુરમાં તણાઈ ગયા છે અને ખુબજ મોટું નુકશાન થયું છે અને હજુ પાણી ઓસર્યા નથી ઉપરથી ભારે વરસાદની આગાહી હોય સાવચેતી ખાતર વહીવટી તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર નહિ નીકળવા પ્રતિબંધ ફરમાવ્યો છે.