જૂનાગઢ ના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમાર ની હત્યા થતા ભારે ચકચાર મચી ગઇ છે. ધર્મેશ પરમારની અજાણ્યા ઈસમો સરાજાહેર હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે રહસ્ય ઉભું થયું છે કારણકે હત્યારા કોણ હતા તે અંગે હજુસુધી કોઈ વાત બહાર નહિ આવતા રહસ્ય જન્મ્યું છે.ઘટના ની જાણ થતાં જ જૂનાગઢ ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ધર્મેશ પરમાર ની હત્યા અહીંના બીલખા રોડ પર રામનિવાસ નજીક બની હતી. જ્યાં ધર્મેશ પરમારને જાહેરમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ધા મારતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરો એ ધર્મેશ પરમારને મૃત જાહેર કર્યા હતા.
દરમિયાન ઘટના અંગે ની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ ઉપર ઉમટી પડ્યા હતા. અને ઘટના નો વિરોધ કરી હત્યારાઓ ને ઝબ્બે કરવા ની માંગ સાથે પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર પણ કર્યો છે. આરોપી પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોની માગ કરતા મામલો ગરમાયો હતો પોલીસે ગુનો નોંધીને આ મર્ડર કેસ માં તપાસ હાથ ધરી છે.