જેને સેવા જ કરવી છે તેના માટે કોઈ મુહૂર્ત હોતું નથી ગૌતમ ગંભીરે માત્ર એક રૂપિયામાં જરૂરિયાતમંદો માટે જમવાનું ચાલુ કર્યું છે, ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કીચન શરૂ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગૌતમ ગંભીરે ગુરુવારે ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કીચન શરૂ કર્યું છે. જે 1 રૂપિયામાં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપશે.
આ અવસરે ગંભીરે કહ્યું હતું કે વ્યક્તિની પહેલી જરૂરિયાત ખોરાક છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ભૂખ્યા ન સૂવે. અમે આગામી દિવસોમાં દિલ્હીના બીજા વિસ્તારોમાં 5થી 6 કીચન ખોલીશું. બીજું કીચન મયુર વિહારમાં ખોલાશે.
ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ કમ્યુનિટિ કીચન બપોરના 12થી 2 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
આ અગાઉ ગંભીરે ‘પંખ’નામનો પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. જેમા તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી, યુનિફોર્મ, જમવાનું અને સ્વાસ્થ્યની સેવા પૂરી પાડી હતી આમ તેઓ ની દાનવીર તરીકે પ્રતિભા ખીલી ઉઠી છે.
Saturday, May 4