નવી દિલ્લી તા.15 : દેશ ના તમામ ધોરી માર્ગ પર અને તેની આસપાસ દારૂ નું વેચાણ બંધ કરો સુપ્રીમ કોર્ટ નો આ આદેશ સાંભળવામાં ઘણો સારો લાગે છે અને જો એનો અમલ થાય તો એના કરતા પણ સારું લાગશે સરકાર આ નિર્ણય પાછળ નું કારણ જણાવતા કહ્યું છે કે દારૂ ના કારણે થઇ રહેલા અકસ્માત અને અન્ય અસામાજિક ગતિવિધિ ને નિવારવા માટે આ નિર્ણય લીધો છે.પરંતુ ગાંધી ના ગુજરાત માં તો ઘણા વર્ષો થી દારૂબંદી છે છતાં પણ અન્ય રાજ્યો કરતા ગુજરાત માં દારૂ નું વેચાણ સહુથી ઊચલા સ્તરે ચાલે છે તાજેતર માં થયેલા સુરત ના લઠ્ઠાકાંડ માં તો પોલીસ અધિકારી નો પણ સમાવેશ પ્રકાશ માં આવ્યો હતો શું ખરેખર માં સરકાર ને પ્રજાની ફિકર છે કે પછી બે નંબર ના આ ધંધા થી પોલીસ અને રાજનેતા ની આવક માં બમણો વધારો કરવાની નીતિ છે ગુજરાત માં વર્ષો થી ચાલી રહેલ દારૂબંદી ના આ કાયદા ની ” ઐસી કી તેસી” કરવામાં માં માત્ર બૂટલેગર અને ખેપીયા જ જવાબદાર નથી સાથે પોલીસ અને રાજનેતા પણ એટલા જ જવાબદાર છે, વડોદરા ના એક બુટલેગરે નામ ના જણાવાની શરતે કહીંયુ હતું કે તે પોતે દરમહિને 10 લાખ સુધી નું ભરણ આપે છે સાથે તે પોલીસ ને જરૂરત ના સમયે દારૂ ની સપ્લાય પણ કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે, જો ગુજરાત માંથી દારૂબંદી નો કાયદો નીકાળી દેવામાં આવે તો સરકાર ને જોઈએ એટલા પ્રમાણ માં અવાક તો થવા ની જ નથી સાથે હપ્તા ના રૂપે મળતી આવક માં પણ રોક લાગી જશે ગુજરાત ના કેટલા પોલીસ અધિકારી ની જયારે બદલી થાય છે ત્યારે તે સહુથી પેહલા તે એ જાણવા માં રુચિ રાખે છે કે શહેરના કયા ભાગ માંથી કેટલું ભરણ આવે છે જયારે અમુક કિસ્સા માં અધિકારી પોતાની બદલીને રોકવા માટે ઉચ્ચ અધિકારી ને પૈસા આપે છે આ બધું જ માત્ર પોલીસ દારૂ ના મળતા હપ્તા ને ચાલુ રાખવા માટે કરે છે.સરકાર ને પ્રજાની ફિકર થાય તે સ્વાભાવિક છે પ્રજા ની સલામતી ની ફિકર થાય તે પણ સ્વાભાવિક છે પણ શું ખરેખર દેશવ્યાપી દારૂબંદી પ્રજા ના ફાયદા માટે છે કે સરકાર ને થતા આડકતરા ફાયદા માટે છે.?


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.