મધ્ય ગુજરાત ના નડિયાદમાં આવેલી એક ખાનગી સ્કૂલનાં શિક્ષકે કોરોના ની હાડમારી પહેલા ડિસેમ્બર માસ માં 14 વર્ષની વિદ્યાર્થિનીને જેન્સ ટોયલેટ માં ફોસલાવી ને લઈ જઈને માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ શિક્ષક ને પોલીસે દબોચી લઇ જેલ માં ધકેલી દીધો છે.
ડિસેમ્બર માસ માં બનેલી આ ઘટના ની વિગતો મુજબ નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલી યુરો સ્કૂલમાં મનિષ પાઉલભાઈ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં શિક્ષક ના નામે આવતા મનિષ ની નજર હંમેશા નાની માસૂમ બાળાઓ ઉપર ટિકી રહેતી હતી અને મનમાં હવસ નો કીડો સળવળતો રહેતો હતો અને આ બધા વચ્ચે તેની નજર સ્કૂલની જ એક 14 વર્ષની વિદ્યાર્થી પર બગડી હતી અને મોકા ની રાહ જોઈ રહ્યો હતો અને એક દિવસે મોકો મળતાં જ શિક્ષક વિદ્યાર્થિનીને જેન્ટ્સ વોશરૂમમાં ખેંચી ગયો હતો. અને તેની પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. શિક્ષકનાં આવા કૃત્યથી કિશોરી ડઘાઈ ગઈ હતી અને આ અંગે બાળા એ પોતાના ઘરે વાત કરતા મામલો નડિયાદ રૂરલ પોલીસમાં પહોંચ્યો હતો અને આ કેસ માં પોલીસે આખરે આજે નરાધમ શિક્ષક મનિષ ને ઝડપી લીધો હતો અને આવી કેટલી બાળાઓ ને પોતાની હવસ નો શિકાર બનાવી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Wednesday, May 15