મે -2020 સુધી સરદાર સરોવર પરિયોજનાનો પ્રગતિનો અહેવાલ નિગમે જાહેર કર્યો છે.
ગાંધીનગર, 19 જૂન 2020
નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઇ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું 95 ટકા કામ પૂરું થયું હોવા છતાં સિંચાઇ માત્ર 5 લાખ હેક્ટરથી વધું થઈ રહી નથી. આમ એક લાખ કરોડના મુડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યાં છે. 18.55 લાખ હેક્ટરમાં સિંચાઇ થઈ શકે એટલું પુષ્કળ પાણી હોવા છતાં શા માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી એ પ્રશ્ન ગુજરાતના દરેક ખેડૂતોને થઈ રહ્યો છે.
મુખ્ય બંધનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જળાશયોનું વિસર્જન એફ.આર.એલ. સુધી શરૂ કરવામાં આવ્યું છે. F.R.L. 138.68 મી. જીવંત સંગ્રહ ક્ષમતા 5800 MCM છે. 31 મે 2020 સુધી પાણીનું સ્તર 121.67 મીટર હોવાનું અને પાણીનો જીવંત સંગ્રહ સાથે 1520.55 MCM છે.
આમ મે મહિનામાં ખેડૂતોને પાણી આપવા માટેનો પુરતો જથ્થો હતો. વળી, સિંચાઈ બાય પાસ ટનલનું બાંધકામ પૂરું થઈ ચૂક્યું છે. નહેરનું માળખું અને તેનાથી સિંચાઈ કેટલી થઈ રહી છે તેની વિગતો નર્મદા નિગમે જાહેર કરી છે. તે હિસાબે નહેરનું કામ મોટા ભાગે પૂરું થઈ ગયું છે. જમીન મળી નથી અને વિવાદ છે એવા કામો જ હવે બાકી રહેતાં હોવાનું જણાય છે.
મુખ્ય નહેર અને શાખા નહેરોનું કામ પૂરું
મુખ્ય કેનાલ 458 કિ.મી.ની છે જેમાં કૂલ શાખા નહેરો કુલ 2731 કિમીની બનાવવાની હતી જે 2637 કિ.મી.ની બનાવી છે. 94 કિલો મીટર પેટા નહેર બનાવવાની બાકી છે તે મોટા ભાગે તો ખેતરોમાં ઉદ્યોગો આવી જતાં બની શકી નથી. જેમાં વિરમગામ અને ધોલેરા એક છે. આમ શાખા નહેરનોનું કામ પૂરું થઈ ગયું છે.
ડિસ્ટ્રિબ્યુટરી કેનાલ
પાણીની વહેંચણી કરતી કૂલ નહેરો 4569 કિલો મીટરમાં બનાવવાની હતી. જેમાં 4402 કિલો મીટર નહેરોનું કામ પૂરું થઈ ગયું છે. 167 કિલો મિટરની નહેર બનાવવાની બાકી રહી છે. 3 ટકા નહેર બનાવવાની બાકી રહી છે. બાકી રહેતી આ નહેર એવા છે જ્યાં વાંધાઓના કાણે આગળ બાંધકામ થઈ શકે તેમ નથી અથવા તે વિસ્તારમાં ઉદ્યોગો આવી ગયા છે તેથી ડી કમાન્ડ કરી દેવામાં આવી છે. આમ ડિસ્ટ્રિબ્યુટરી કેનાલનું કામ પૂરું થઈ ગયું છે.
માઈનોર નહેરો
ગુજરાતમાં 15670 કિ.મી.ની નાની નહેરો બનાવવાનું નક્કી કરાયું હતું. જેમાં 14186 કિ.મી.ની નાની – માઈનોર નહેરો બની ગઈ છે. 1484 કિ.મી.ની નાની નહેર બનાવવાની બાકી છે. જે 10 ટકા બાકી છે. જેમાં હવે મોટા ભાગે કોઈ કામ કરવાનું રહેતું નથી. તેનો સીધો મતલબ કે નાના નહેર ખેતર સુધી પહોંચી ગઈ છે. ખેડૂતો તેમાંથી પાણી લઈ શકે છે.
સબમાઈનોર નહેરો
દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચતી હોય એવી નહેરોને સબમાઈનોર નહેર કરેવામાં આવે છે. આવી નહેરો કૂલ 48320 કિલો મીટરની બનાવવાનું બંધ બન્યો તે પહેલાથી નક્કી કરાયું હતું. જેમાં 40097 કિ.મી.ની નહેરો બની ગઈ છે. હવે માત્ર 8223 કિ.મી એટલે કે 20 ટકા લાંબી નહેરો બનાવવાની બાકી છે. જેમાં ખરેખર તો 50 વર્ષમાં જેમાં અનેક ભૌગોલિક અને ઔદ્યોગિક ફેરફારો જમીન પર થઈ ગયા છે. તેથી ખરેખર તો હવે 10 ટકા જ કામ બાકી રહ્યું છે.
એક લાખ હેક્ટર જમીન બિન ખેતી થઈ
નર્મદાની સિંચાઇ થવાની હતી એવો ઓછામાં ઓછો 1 લાખ હેક્ટર વિસ્તાર ઘટાડી દેવાયો છે. ધંધુકા તાલુકામાં કૂલ 30,902 હેક્ટર જમીન નહેરની સિંચાઈથી બાકાત કરી દેવામાં આવી છે. ધોલેરા સરના કારણે 21,900 હેક્ટર જમીન ડી-કમાન્ડ થઈ હતી. બાવરીયા ગામની 13,967 હેક્ટર સિંચાઈમાંથી 7,016 હેક્ટર જમીન ડી-કમાન્ડ થઈ હતી. ભાનવગર જિલ્લામાં પણ 1986 હેક્ટર આમ 30 હજાર હેક્ટર જમીન તો ધોલેરા સરમાં થઈ છે.
નર્મદા યોજનાના નિર્ધારિત સિંચાઈ વિસ્તારમાંથી કમી કરાયેલા વિસ્તાર યાને ડી-કમાન્ડ કરાયેલા વિસ્તારના આંકડા બિનસત્તાવાર રીતે તો લાખ હેક્ટરથી વધુ છે, પણ સત્તાવાર રીતે 40,254 હેક્ટર દર્શાવાય છે. જેમાં સૌથી વધુ વિસ્તાર અમદાવાદ જિલ્લો, ભરૂચ 8526, વડોદરા 4298, નર્મદા જિલ્લામાં 54 હેક્ટર, છોટા ઉદેપુરમાં 187, ર, ખેડામાં 704 હેક્ટર, ગાંધીનગરમાં 111 હેક્ટર, મહેસાણામાં 709 હેક્ટર, મોરબીમાં 884 હેક્ટર તથા પાટણ જિલ્લમાં 516 હેક્ટર વિસ્તાર ડી-કમાન્ડ કરવામાં આવ્યો છે.
સિંચાઈ
આમ ખરેખર તો 18.55 લાખ હેક્ટરમાંથી ડિકમાન્ડ કરી દેવાયેલો વિસ્તાર 1 લાખ થતાં હવે ખરેખર તો 17.50 લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઇ થવાની છે. જેમાં સબમાઈનોર નહેરો 18.55 લાખ હેક્ટમાંથી માર્ચ 2020 સુધીમાં 1488951 હેક્ટરમાં સિંચાઈની નહેરો થઈ ગઈ છે. તેનો મતલબ કે 366049 નહેર બનાવવાની બાકી છે. જેમાં 1 લાખ હેક્ટર ડિકમાન્ડ વિસ્તાર બાદ કરી દેવામાં આવે તો હવે 2.50 લાખ હેક્ટરથી વધું ખેતરો બાકી રહેતા નથી. 15 લાખ હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ થઈ રહી છે એવું સરકાર પોતે કહી રહી છે.
19 ફેબ્રુઆરી 2020માં સરકારે શું કહ્યું
2020ની રવિ ઋતુમાં 10.81 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ થઈ હતી. જાન્યુઆરી- 2020માં સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરોમાં આ માહિતી બહાર આવી છે. જે ગત વર્ષે જાન્યુઆરી 2019માં 9.34 લાખ હેક્ટરમાં હતું. એક જ વર્ષમાં 1.47 લાખ હેક્ટરનો વધારો થયો હોવાનો દાવો સરકાર ઉપગ્રહના આધારે કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, 17 જિલ્લાના 73 તાલુકાના 10.81 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ સુવિધાનો લાભ પૂરો પડાયો છે.
જેમાં પાટણ જિલ્લામાં 32,857 હેક્ટર, કચ્છ જિલ્લામાં 28403 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 15143 હેક્ટરનો વધારો નોંધાયો છે. આમ સરકાર પોતે નર્મદા નિગમના સિંચાઇ રહી હોવાની હકીકતો જાહેર કરવાના બદલે ઉપગ્રહની અવાસ્તવિક સ્થિતી માની લઈને સિંચાઈની ભ્રમજાળ બતાવી રહી છે. ખરેખર તો 5 લાખ હેક્ટરથી વધું સિંચાઇ નર્મદાની થતી નથી.
નર્મદામાં પાણી એટલું છે કે, હાલ 18.55 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે.