કોરોના ની સ્થિતિ હજુ પૂર્ણ રીતે ઓછી થઈ નથી અને વેકશીન અભિયાન પણ પૂર્ણ થયું નથી ત્યાંજ હવે નાના બાળકો માટે ના ધો- 6 થી 8ના વર્ગો પણ તા. 18 ફેબ્રુઆરીથી શરૂ કરવાની સરકારે જાહેરાત કરતા આ માત્ર આખા વર્ષ ની ફી ઉઘરાવવા નું નાટક હોવાનું વાલીઓ માં ચર્ચાઈ રહ્યું છે,નક્કી કરેલી ફી ઓન લાઈન શિક્ષણ ની એક્ઝામ માં પણ લઈ શકાય છે કારણ કે મોટાભાગ નું અધકચરુ સ્ટડી તો ઓન લાઈન માજ પૂરું થઈ ગયું હોવાની વાતો વાલીઓ માં ઉઠવા પામી છે.
જાન્યુઆરીમાં શરૂ કરેલ ધોરણ 10-12 તથા ફેબ્રુઆરીમાં શરૂ કરેલા ધોરણ 9-11માં હજુ 50 ટકા જેટલા વિદ્યાર્થી પણ શાળામાં જતા નથી.
સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરીથી ધો. 6થી 8ની શરૂઆત કરવાની જાહેરાત કરાઇ છે ત્યારે કોરોના ના કેસો પણ ફરી નોંધાઇ રહ્યા છે હજુ કોરોના વેકશીન અભિયાન પણ પૂર્ણ થયું નથી તેવે સમયે વાલીઓને ડર સતાવી રહ્યો છે અને મોટાભાગ ના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. ઓનલાઇનમાં મોટાભાગનો કોર્સ પૂરો થઇ ગયો છે તેવા સમયે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરાતા આશ્ચર્ય ફેલાયું છે.
કોરોના ગયો નથી અને તમામ શિક્ષકોને હજુ વેક્સીન અપાઇ નથી તેવા સમયે સરકારે વાલીઓની જવાબદારી પર જાહેરાત કરી વાલીઓ પાસે સંમતિપત્રકો મગાવાય રહ્યા છે. બાળકોને કોરોના થશે તો જવાબદાર કોણ? તે સવાલ ઉભો થયો છે અને ધો.9થી 12માં પૂરતી હાજરી નથી તો ધો.6થી 8ની સ્કૂલ શરૂ કરવા સામે વાલીઓ માં કચવાટ ઉભો થયો છે.
Saturday, May 18