જે ઉમેદવાર નૌકાદળમાં જવા ઈચ્છતા હોય તેઓ માટે એક તક છે જે માટે આજેજ અરજી કરી શકો છો.
ભારતીય નૌકાદળ અગ્નિવીર એમઆર ભરતી 2023 માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 26 જૂન 2023થી શરૂ થઇ છે. ઉમેદવારો ભારતીય નૌકાદળની વેબસાઇટ joinindiannavy.gov.in દ્વારા અરજી કરી શકે છે.
ભારતીય નૌકાદળની આ ભરતી અભિયાનમાં કુલ 35 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે.
ભારતીય નૌકાદળે અગ્નિવીર એમઆર ભરતી 2023 માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ભારતીય નૌકાદળમાં આ ભરતી નવેમ્બર બેચની જાહેરાત નંબર-02/2023 હેઠળ થશે
ભારતીય નૌકાદળની આ અગ્નિવીરની આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોનો જન્મ 1 નવેમ્બર 2002 થી 30 એપ્રિલ 2006 ની વચ્ચે થયો હોવો જોઈએ.
એટલે કે અરજદારની ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ભારતીય નૌકાદળની ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી મેટ્રિક (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ
નેવી અગ્નિવીર MR ભરતી માટે લાયક ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં શારીરિક માપન અને શારીરિક તંદુરસ્તી કસોટીનો સમાવેશ થાય છે. આ પછી ઉમેદવારોની મેડિકલ ટેસ્ટ પણ થશે.
આમ આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર અરજી કરી શકે છે.