પાટીદારોની બહુમતીને કારણે જ્યાં અનામત આંદોલનની અસર જોવા મળી હતી તે વિસ્તારમાં આવેલી છ બેઠકો અનામતમાં આવે છે. આ અનામત બેઠકો પર પાટીદાર મતો લાંબા સમયથી ભાજપને મળી રહ્યા છે જેના કારણે આ તમામ છ અનામત બેઠકો ઉપર ભાજપનો જ વિજય થાય છે. જો કે પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારના ધારાસભ્ય ભાજપના હોવા છતાં પંચાયતમાં કોંગ્રેસ મેદાન મારી જતા અને કોંગ્રેસ હવે પાટીદારો તરફ વળી છે.
અનામત બેઠકમાં ગાંધીધામની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં17000 પાટીદાર મતદારો છે. જ્યારે ઈડરની અનામત બેઠકમાં 62000 પાટીદાર મતદાર છે. દસાડા બેઠકમાં 20000 પાટીદાર મતદારો છે.રાજકોટ ગ્રામ્યમાં 50000 અને કાલાવાડ બેઠકમાં 48000 પાટીદાર મતદારો છે.તેવી જ રીતે ગઢડામાં 20000 પાટીદાર મતદારો છે. કોંગ્રેસ માને છે કે આ અનામત બેઠક ઉપર પાટીદારોના મત મેળવમાં કોંગ્રેસ સફળ થાય તો આ બેઠકો અંકે કરી શકાય તેમ છે.
જ્યારે આદિવાસી પટ્ટાની પાંચ બેઠકો એવી છે જેમાં કોંગ્રેસ બહુ ઓછા મતોએ હારી હતી. આ તમામ બેઠકો આદિવાસી માટેની અનામત બેઠકો જ છે જેમાં મોરવા, ફતેપુરા, જેતપુર,ડેડીયાપાડા અને નીઝરનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભામાં હાલમાં કોંગ્રસના આદિવાસી ધારાસભ્યોનું સંખ્યાબળ 15 છે


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.