વાપી-નોર્થ લખીમપુર ટ્રાન્સમિશન કંપની દ્વારા અહીંના નાગધી ફળિયામાં સ્થપાનારા પાવર સ્ટેશન વિરુદ્ધ અગાઉ પણ ગોયમા ગ્રા.પં માં ઠરાવ થઈ ચૂક્યો છે છતાંપણ કામ ચાલુ રહેતા આજે પારડીમાં આદિવાસી સમાજની વિશાળ રેલી નિકળી હતી.
ગોયમા આદિવાસી વિસ્તાર અનુસૂચી-5 માં આવતું હોય ઔદ્યોગિક હેતુ પાવર સ્ટેશન ગ્રામસભાની મંજૂરી વગર સ્થાપી શકાય નહીં તેમછતાં પાવર સ્ટેશન ઉભું કરવાની હિલચાલ સામે ગ્રામજનો આક્રોશ જોવા મળ્યો છે.
વલસાડજિલ્લાના ગોયમા ગામે ગ્રામજનોના વિરોધ વચ્ચે ઉભા થઇ રહેલા પાવર સ્ટેશન સામે આખરે ગ્રામજનોએ આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું છે અને તેના ભાગરૂપે આજે તા.૨૮ એપ્રિલ ૨૦૨૨ ને ગુરૂવાર સમય પારડી ચારરસ્તા ઓવરબ્રીજ નીચે વિશાળ રેલી નિકળી હતી.
ગોઇમા ગામે નાગધી ફળિયા ખાતે વાપી -નોર્થ લખીમપુર ટ્રાન્સમીશન કંમ્પની દ્વારા ૭૬૫ kv ન ઔધોગિક હેતુ પાવર સ્ટેશન સ્થાપવામાં આવનાર છે, આદિવાસી વિસ્તાર અનુસૂચી-૫ માં ગોઇમા ગામ આવતું હોય જેથી ઔધોગિક હેતુ પાવર સ્ટેશન ગામની ગ્રામસભાની મંજુરી વગર સ્થાપી શકાય તેમ નહિ તે બાબતે ગ્રામ પંચાયતની તા.૨૨/૦૩/૨૦૨૨ ના રોજ યાજાયેલ ગ્રામસભા માં ગોઇમા ગામે પાવર સ્ટેશન સ્થાપવા બાબતે વિરોધ કરતો ઠરાવ પસાર કરવામાં આવેલ છે. તેમ છતાં સ્થળે પાવર સ્ટેશન બનાવવા અંગેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવેલ છે.
પાવર સ્ટેશન ન સ્થાપવા બાબતે જેતે કચેરીને ગ્રામસભાના ઠરાવની નકલ મોકલી આપવામાં આવેલ છે. તેમ છતાં પાવર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે. જેથી આ પાવર સ્ટેશન વિરોધ બાબતે રેલી અને સભા બાદ આવેદનપત્ર આપવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હતો.
ગ્રામજનોના મતે આ પાવર સ્ટેશનને કારણે ગોઇમા ગામ તેમજ આજુબાજુના ગામો માંથી થઇ હાઇ પાવર (૧) અરનાલા, (૨) ચીવલ (૩) પાટી (૪) સુખાલા (૫) ઘોઘડકુવા (૬) અંભેટી (૭) ખેરલાવ (૮) અંબાચ (૯) ડુમલાવ (૧૦) રોહિણા (૧૧) બરઇ (૧૨) આસ્મા (૧૩) વરઇ (૧૪) સામરપાડા (૧૫) પંચલાઇ (૧૬) નેવરી (૧૭) લખમાપોર (૧૮) ડેહલી (૧૯) બાબરખડક (૨૦) સોનવાડા (૨૧) તરમાલીયા (૨૨) મોટાપોઢા તથા અન્ય લાગુ ગામોના ખેતરો માંથી હાઈપાવર વાળી ટાવર લાઇનો આવવાની અને જવાની હાવોથી જેથી ફળાઉ ઝાડો જેવા કે, આબા કલમ, ચીકુની વાડીઓ નો નાશ થશે.
બીજું કે લાઇનની નીચે ફરીથી ઝાડો વાવી શકાય નહી. ફકત શાકભાજી કે કઠોળ ડાંગર જેવા ધાન્ય પાકો સિવાયઅન્ય કોઇ પાક કરી શકાય નહિ. તેમજ થાંભલાવાળી જગ્યામાં કોઈપણ પાક વાવી શકાય નહિ. સવાલવાળી જમીનની આજુ બાજુમાં રહેણાંક ઘરો આવેલા છે. તે પણ ખસેડવા પડે પસાર થનાર હાઇ પાવર લાઇનની નજીક ઘરોમાં કાયમી હીંગ અવાજ સંભળાયા કરે જેથી માનસિક ન્યુશન્સ થવાની શકયતા રહેલી છે.
ગ્રામજનોના કહેવા મુજબ આજુ બાજુમાં રહેતા લોકો નાના ખેડુત છે. આ સિવાય બીજી કોઈ ખેતીની કે બિનખેતી રહેણાંકની જમીન
ધરાવતા નથી. જેથી ઘર વિહોણા થવાની શક્યતા છે. સવાલવાળી જમીન ની લાગુ ગણોતિયા સહકારી મંડળીના સભાસદોની જમીન પણ આવેલી છે જેઓને આર્થિક નુક્શાન થઈ શકે છે.
અગાઉ પણ ગ્રામજનોએ વિરોધ કર્યો હોવાછતાં ઉભા થનારા પાવર સ્ટેશનને અટકાવવા ગોઇમા ગામની આજુ બાજુના તમામ લોકો વિરોધ કરી રહયા છે અને જો નિવેડો નહિ આવેતો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
આદિવાસી નેતા અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા સમર્થન અપાયું છે.