લોકડાઉન માં છૂટછાટ બાદ લોકો માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળી રહ્યા છે ત્યારે તેઓ મહાનગર પાલિકા ના કર્મચારીઓ ને ગણકારતા નહિ હોવાથી આખરે આ અભિયાન પોલીસ ને સોંપી દેવામાં આવ્યુ છે.
આજથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી પોલીસ રૂ. 200નો દંડ વસૂલ કરી શકશે. અત્યાર સુધી ફક્ત મ્યુનિ. પાસે જ દંડ વસૂલવાની સત્તા હતી, પરંતુ રાજ્ય સરકારે હવે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણઆપી દીધી છે.
મંગળવારે સાંજે અમદાવાદ શહેરના તમામ આઈપીએસ અધિકારીઓની યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, પોલીસ બુધવાર સવારથી જ માસ્ક વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલ કરી શકશે. આ અંગે ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનને સૂચના અપાઈ છે.આમ હવે જે રીતે હેલ્મેટ માટે દંડ કરતા હતા તેજ રીતે માસ્ક નહીં પહેરનાર લોકો ને ઉભા રાખી 200 રૂપિયા સ્થળ પરજ વસુલ કરશે ત્યારે માસ્ક ઘરે ભૂલી ગયા કે પડી ગયો તેવા કોઈ બહાના નહિ ચાલે.
Sunday, May 19