બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ પાસે ગૌચરની જમીન મામલે બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણમાં બેની હત્યા થઈ હતી આ જૂથ અથડામણમાં 6 લોકો ઈજાગ્રસ્ત થતા શિહોરી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બનાવ બાદ ગામમાં તંગદિલી વ્યાપી ગઇ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કાંકરેજના અરણીવાડા પાસે આવેલી ગૌચરની જમીનને લઈ બે જૂથ આમને સામને આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ લોહિયાળ જૂથ અથડામણ સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 6 લોકોને ઈજાઓ પહોંચતા સારકવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.