બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આગામી સાત દિવસમાં વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો જેલભરો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
બનાસકાંઠઆના ધાનેરા તાલુકાના થાવરમાં આજે અર્બુદા સેનાના યોજાયેલા સંમેલનમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડયા હતા.
સંમેલનમાં હાજર ચૌધરી સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે, વિપુલ ચૌધરી સામે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો સાત દિવસમાં વિપુલ ચૌધરી સામેની ફરિયાદ પાછી લઈ મુક્ત કરવામાં નહિ આવે તો જો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.