ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની ત્રાટકી શકે તેવી ગંભીર સ્થિતિ ઉભી થતાં તંત્ર ફૂલ એક્શન મોડમાં છે અને સેનાની પણ મદદ લેવામાં આવશે બિપોરજોય વાવાઝોડું પોતાની દિશા મુજબ કચ્છના માંડવી- નલિયા અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવાનું છે તે નક્કી છે.
વાવાઝોડું 15 જૂનના બપોર સુધીમાં કચ્છ તરફ લેન્ડફોલ થવાની આગાહી છે.
સ્વભાવિક છે કે વાવાઝોડું ગુજરાતને ટકરાવવાનું નક્કી થઈ ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાશે પરિણામે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
ઓખાના દરિયો તોફાની બનતા કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રીગ પર ફસાયેલા 11 કર્મચારીઓનું હેલિકોપ્ટરની મદદથી રેસેક્યૂ કર્યું હોવાના અહેવાલો છે.
કચ્છમાં વાવાઝોડાની આગાહીના પગલે પોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.