બિપરજોય વાવાઝોડુ ગુજરાતમાં ટકરવાનું છે ત્યારે સંભવિત જરૂરી ખોરાક,દવા,એમ્બ્યુલન્સ સેવા વગરે કામગીરી માટે ભાજપ સજ્જ બન્યુંછે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હોદ્દેદારો સાથે બેઠક કરી આ અંગે તૈયારીઓમાં લાગી જવા આહવાન કર્યું છે.
ભાજપના તમામ કાર્યકરોને જનતાની સેવા માટે મદદરુપ થવા માટે સૂચના આપવામાં આવી છે,કાર્યકરોને ફૂડ પેકેટ તૈયાર કરવા સૂચના મળતા ગુજરાતના તમામ જિલ્લાઓના ભાજપ કાર્યાલયોમાં આજથી ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવનાર છે.
બીજું કે 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી. હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો અને જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે,જ્યારે પૂર સંભવિત વિસ્તારોમાં અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આમ,ભાજપ દ્વારા પોતાના કાર્યકરોને જનતાની સેવા માટે તત્પર રહેવા સૂચના આપતા દરેક જિલ્લામાં ભાજપના કાર્યકરો તંત્ર સાથે રહી સેવા બજાવશે.