દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. ઘી કૌભાંડમાં મહેસાણાની દૂધ સાગર ડેરીમાં 08-09-2020માં વહીવટદારની નિમણૂંક કરાઇ હતી. સાગર ઘીમાં ભેળસેળ મામલે 40 કરોડનું નુકસાન પહોંચતા નિયામક મંડળને રાજ્ય સરકારે બરખાસ્ત કરી દીધું હતું. વહીવટદાર તરીકે વાય.એ.બલોચની નિમણૂક કરાઈ હતી.
ડેરીના સત્તાધીશો અને ડેરીનું વહીવટી તંત્ર આમને સામને આવી ગયું હતું.
24 જૂલાઇમાંદૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કરને જપ્ત કરવામાં આવ્યા હતા.
ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા વાઇસ ચેરમેન અને MDની પૂછપરછ કરવામાં આવી હતી.
ભેળસેળવાળા ઘીના સમગ્ર પ્રકરણમાં રાજ્ય સહકારી રજીસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા આદેશ કર્યા હતા.
નુમનાઓમાં ગોલમાલ
મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મેઘજીભાઇ ચૌધરી હતા. તેમણે જાહેર કર્યું હતું કે, ફેડરેશને મેળવેલા સેમ્પલ તેમની આંણદ લેબમાં ચકાસણી કરી ભેળસેળ હોવાનો ગોળગોળ રીપોર્ટ આપ્યો હતો. બીજા દિવસે મહેસાણા ડેરીએ સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ, સરકાર માન્ય બે લેબોરેટરીમાં આ જ બેચમાંથી સેમ્પલ ચકાસણીમાં ઘીના નુમનાના પાસ રીપોર્ટ આવેલા છે. આ અંગે અમે ફેડરેશનને જાણ કરી છે. ઘી સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. ડેરીની ચૂંટણીનું વર્ષ હોઇ વિરોધીઓ ફેડરેશના ઓથા હેઠળ નુકશાન પહોચાડવાના કાવતરા કરે છે. કોઇ ગ્રાહકને નુકશાન થવા દેવાશે નહી.
આશા ઠાકોર સામે પગલાં લેવાયા પણ, હિરાયાણાની ઘી ફેકટરીની તપાસ કેમ નહીં