રાજ્યસભા ની ચૂંટણી અગાઉ નેતાઓ માં ખરીદ વેચાણ ની પ્રક્રિયા ચાલુ થઈ છે અને છેલ્લા કેટલાક વર્ષો થી નગરપાલિકા લેવલ થી શરૂ થયેલી આ બદી હવે ઉંચા લેવલ ઉપર પહોંચી ગઈ છે અને જરૂર પડ્યે ગરજ ના ભાવે નેતાઓ વેચાઈ જતા હોવાની ચર્ચાઓ નોર્મલ બની ગઈ છે ત્યારે હાલ માં રાજ્યસભા ની ચૂંટણી વખતે ચાલતી ભવાઈ ના શીન લોકો કોરોના ના માહોલ માં મફત માં માણી રહ્યા છે અને મીડિયા ને પણ મસાલો મળી ગયો છે જેઓ સ્વાદ અનુસાર મીઠું-મરચું ભભરાવી મેટર ને મસાલેદાર બનાવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા માં લોકો ભાજપ અને કોંગ્રેસ બન્ને ને મનભરી ને ભાંડી રહ્યા છે જેમાં એક યુઝરે લખ્યું છે કે ‘ભાજપ હવે ભગવો મટી બગલો બની ગયો છે અને કોંગ્રેસ મુક્ત કરતા કરતા કોંગ્રેસ યુક્ત થઈ ગયો છે અને ભાજપે જરૂર મુજબ 60 ટકા કૉંગ્રેસી નેતાઓ ને પોતાની પાર્ટીમાં સ્થાન આપી દીધું છે’ આવી તો અનેક કોમેન્ટ સામે આવી રહી છે.
હાલમાં નેતાઓ ને દૂર લઈ જવા પડે છે તે શું સૂચવે છે ? પ્રજા ના મતે ચૂંટાઈ ને પોતાની મરજી પડે ત્યાં બેસી જતા નેતાઓ અને રાજકારણ થી જનતા માં નારાજગી ફેલાઈ ગઇ છે અને આખું બંધારણ નવેસર થી અમલ માં આવે તે જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે.
Sunday, May 19