આજકાલ દીકરીઓ ભાગીને લગ્ન કરે છે અને પછી પસ્તાય છે ત્યારે માં બાપ કે વડીલોને પૂછ્યા વગર લીધેલા નિર્ણય આવું પગલું ભરનારને પાછળથી અહેસાસ થતો હોય છે ત્યારે આવા બનાવો રોકવા માટે હવે કાયદાની મર્યાદામાં રહી કોઈ નકકર નિયમો બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્દેશ આપ્યો હતો.
માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપતા કહ્યું કે બંધારણ ન નડે તે રીતે અભ્યાસ કરીશું અને નિયમો લાવીશું.
ઉતાવળે પ્રેમલગ્ન કરવા બાબતે માતા પિતા સહમત થાય તેવી રીતે વ્યવસ્થા કરવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મહેસાણામાં યુવા પેઢીને ભાગી જઈ લગ્ન કરતા અટકાવવા માટે મહેસાણામાં સામાજિક આગેવાનો દ્વારા અભિયાન શરૂ થયું છે અને અગાઉ પણ મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખે જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને માતા પિતાની અનુમતિ વગર ભાગી જઈ લગ્ન નહિ કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નવી પેઢીને ભાગીને લગ્ન નહિ કરવા અપીલ કરી હતી ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવી પેઢીને જીવનનું સૌથી મોટું આવું પગલું માતાપિતાની અનુમતિ સિવાય નહિ ભરવા અપીલ કરી માતાપિતાને જાણ કર્યા સિવાય ભાગીને કોઈ લગ્ન ન કરે તેવા ભવિષ્યમાં કાયદાની મર્યાદામાં રહી નિયમો લાવવા નિવેદન આપ્યું હતું.