ચુંટણીની તારીખ જાહેર થયા પછી હવે ખરાખરીનો ખેલ જામશે. હજુ પાર્ટીઓ થોડી સુસ્ત નજર આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા લાગુ થયા પછી હવે વારો છે રેલીઓ ગજ્વવાનો. અને આ કામ શીર્ષ અને કેરેશમેંટીક નેતાઓ જ કરી શકે. પબ્લીકને પટાવવા હવે વાયદાઓનો વેપાર પુર જોશમાં શરુ થશે. આ વાકબાણ યુદ્ધ પર કોનો ગજ ભારે પડે છે એ નક્કી કરી રેલીઓનું આયોજન થશે. વાયદાના વેપારમાં જો કે લોકોને હવે ખાસ રસ હોતો નથી. કેમ કે, લોકો પણ જાણે જ છે કે, વાયદા કરવાથી કઈ પુરા થઇ જતા નથી. અને જેવી ચુંટણી પતશે કે, નેતાઓની આ ફોજ ફરી VIP થી VVIP ની હરોળમાં આવી જશે. અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ કામ પડ્યે પબ્લિક વચ્ચે આવશે. અને ત્યારનું વર્તન, વાણી અને વ્યવહાર તદન અલગ હોય છે.
ખેર હવે જે હોય એ પણ નેતાઓ અને ઇવન પબ્લિક પણ જાણે જ છે કે, ચુંટણી સભાઓ કે રેલીઓ એ દરેક પાર્ટીની છેલ્લુ હથિયાર હોય છે. તો દરેક પાર્ટી આ રેલીઓમાં જેટલી વધારે ભીડ એકઠી કરી શકે એટલી જીતવાની ઉમ્મીદ કે તેમની લોકપ્રિયતા છે એવું તારણ કાઢે છે. અને એટલે રેલીઓ માટે માનવ મેદની એકઠી કરવાનો કારોબાર પણ ક્યાંકને ક્યાંક ચાલતો રહે છે. તો વળી બીજી તરફ વાજપેયી કે જે એક બહુ સારા વક્તા હતા અને કૈક એમ જ લોકો મોદીને પણ રસથી સાંભળે છે તો રાહુલ ગાંધી આ જ મામલે લોકો માટે ઘણીવાર ફનનો વિષય બનેલા છે. અને એવા ચિત્ર-વિચિત્ર છબરડા માટે જાણીતા છે કે, એમના નામે અનેક જોકસ ચાલેલા છે. અને લોકો વચ્ચે પપ્પુના નામથી પણ જોક્સો ચાલેલા છે. તો મોદીને પણ લોકોએ ગપ્પાબાજ તરીકે ફેમસ કરેલા છે. અને આવા ઉપ્નામોને ધ્યાનમાં રાખી લોકે એ કોઈને પપ્પુ ગમેં તો કોઈને ગપ્પું જેવા જોકસ બનાવેલા છે.
વેલ રેલીઓને લાગે વળગે છે ત્યાં સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, એન્ટીઇન્કમબન્સી ફેક્ટરના પગલે લોકજુવાળને ભાજપ તરફ વાળવામાં ગુજરાતના એકપણ નેતામાં ખાસ કરિશ્મા ના હોવાને લીધે બીજેપી તરફથી મોદીની લોકપ્રિયતા વટાવવાનો જ પ્રયાસ કરાશે. અને આગામી દિવસોમાં ડીસેમ્બરમાં PM મોદી લગભગ ૫૦ જેટલી રેલીઓ કરશે. પાર્ટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મોદી દક્ષીણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ૫૦ થી ૭૦ જેટલી રેલીઓ કરી શકે છે. તેમજ ૧૦ નવેમ્બેર બાદ મોદી ૨-૩ રેલીઓ યોજી અભિયાનની શરૂઆત કરશે. અને પાર્ટીને જીતાડવા દિવસ-રાત કરશે.
બાય ધ વે, ચુંટણીને ધ્યાનમાં રાખીને મોદી જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૦ વાર ગુજરાત મુલાકાતે આવી ચુક્યા છે. વિશેષમાં ભાજપ માટે જ નહિ બલકે મોદી માટે ગુજરાત ગૃહરાજ્ય હોવાથી અહી ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્ય રખાયો છે. જો કે, ભાજપ માટે સમસ્યા એ છે કે, ૨૦૧૪માં મોદીના ગુજરાત છોડ્યા બાદ પાર્ટી પાસે કોઈ મજબુત નેતા નથી. તેથી કરીને અસલમાં મોદી શરૂઆતમાં ૧૫ થી ૧૭ રેલીઓ કરવાના હતા. પરંતુ કોંગ્રેસની રણનીતિ અને લોક આંદોલનના નેતાઓ સાથેના સમર્થન બાદ પાર્ટીના નેતાઓ જ મોદીને ૫૦ રેલીઓ સંબોધિત કરવાની માંગણી કરી છે. તેમજ PM ને વધુમાં વધુ રોંડ શો કરવાની પણ માંગણી કરાઈ છે.
તેમજ તે સિવાય મોદી સોશલ મીડિયા ટાઉન હોલ અને ડીજીટલ મીડિયાના સહારે સીધા પબ્લિક સાથે જોડવા પબ્લિક મીટીંગ પણ કરી શકે છે. વધુમાં અમિત શાહ સિવાય યોગી આદિત્યનાથને પાર્ટી મેદાનમાં ઉતારશે.
રીના બ્રહ્મભટ્ટ