ડમીકાંડમાં યુવરાજસિંહના ખુલાસા બાદ થયેલી તપાસમાં સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓની ધડપકડ કરી છે, જેથી આ મામલે અત્યાારસુધીમાં કુલ 23 આરોપીઓ ઝડપાયા છે જોકે,ખાસ વાત એ છે કે યુવરાજસિંહ દ્વારા જે મોટા નામો અપાયા છે તે મોટા લોકોની ક્યારે તપાસ થશે? લોકો આ સવાલ ઉઠાવી રહયા છે ત્યારે પોલીસે યુવરાજસિંહના નિવેદન બાદ જે મોટા મંત્રીઓના નામો અપાયા છે તેની પણ તપાસ થાય તો જનતાને લાગે પોલીસ તટસ્થ કામગીરી કરી રહી છે આ વાત લોકોમાં ચર્ચાનો વિષય છે.
ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે શુક્રવારે સવારે પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણમંત્રીનાં નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટાં માથાં મને દબાવવાના પ્રયાસ કરે છે. ભૂતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભનો આપ્યા હતા. આ કૌભાંડ 2011થી નહીં, 2004થી ચાલે છે. કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે. એવા એકેયને સમન્સ પાઠવ્યું નથી. અવિનાશ પટેલનું અને જશુ ભીલને કેમ સમન્સ ના આપ્યું? યુવરાજસિંહે અવધેશ, અવિનાશ, આસિત વોરા, જશુ ભીલ અને જિતુ વાઘાણીનાં પણ નામો બોલ્યા હતા. હું વધુ 30 જેટલાં નામો આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.