રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ સતત નવા કેસો સામે આવી રહયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 283 કેસ નોંધાયા છે. જેની સામે 217 દર્દીઓ સાજા થયા છે અને હાલ ચાર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ ત્રણ દર્દીના મોત થયા છે સાથેજ છેલ્લા 16 દિવસમાં કોરોનાથી રાજ્યમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં કુલ 2309 એક્ટિવ કેસ છે. જેમાંથી ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2305 દર્દીઓ હાલ સ્ટેબલ છે
અમદાવાદમાં સૌથી વધુ 130 કેસ, વડોદરામાં નવા 43 કેસ સામે આવ્યા છે. સુરતમાં 34 કેસ નોંધાયા છે. મહેસાણામાં 13 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 11 કેસ નોંધાયા છે. ગંધીનગરમાં 15 કેસ સામે આવ્યા છે. પાટણમાં 4 કેસ નોંધાયા છે. રાજકોટમાં 5 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 4 કેસ નોંધાયા છે. આણંદમાં 3 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. જામનગરમાં 3 કેસ સામે આવ્યા છે. નવસારીમાં 3 કેસ નોંધાયા છે. ખેડામાં 2 કેસ નોંધાયા છે. કચ્છમાં 2 કેસ સામે આવ્યા છે. મોરબીમાં 2 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 2 કેસ સામે આવ્યા છે. અલવલ્લીમાં 1 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ અને ગીર સોમનાથમાં 1 કેસ સામે આવ્યો છે.